ગણેશ ચતુર્થી: વજન ન વધે તેવા સુગર ફ્રી મોદક કેવી રીતે બનાવવા?
ભારતભરમાં અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાતો તહેવાર એટલે ગણેશ ચતુર્થી. દસ દિવસ સુધી ચાલનારા આ મહાપર્વમાં ગણપતિ બાપ્પાની સ્થાપના થાય છે, આરતી થાય છે અને વિવિધ પ્રકારના પ્રસાદ ધરીને બાપ્પાને રીઝવવામાં આવે છે. ગણપતિ બાપ્પાને જે વાનગી સૌથી વધુ પ્રિય છે, તે છે મોદક. હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ મોદકને જ્ઞાન, સિદ્ધિ અને આનંદનું પ્રતીક માનવામાં…
