સરગવો (Moringa): વજન ઘટાડવા અને સાંધાના દુખાવા માટેનું અમૃત.
ભારતીય રસોડામાં દાળ કે કઢીમાં સ્વાદ વધારવા માટે વપરાતો સરગવો (Moringa) માત્ર એક સામાન્ય શાકભાજી નથી, પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને દ્વારા સ્વીકારાયેલું એક અદભુત ‘સુપરફૂડ’ છે. સરગવાના પાન, તેની સીંગો, ફૂલ અને મૂળિયાં – આ વૃક્ષનો દરેક ભાગ ઔષધીય ગુણોથી ભરેલો છે. આયુર્વેદમાં સરગવાને 300થી વધુ રોગોની સારવાર માટે સક્ષમ માનવામાં આવે છે….
