છાશ: અમૃત સમાન પીણું, પણ પીવાનો સાચો સમય કયો?
ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતી ભોજનમાં ‘છાશ’નું સ્થાન અનન્ય છે. ગુજરાતી થાળી ગમે તેટલી સ્વાદિષ્ટ કેમ ન હોય, પણ જો તેમાં છાશનો ગ્લાસ ન હોય તો તે ભોજન અધૂરું જ ગણાય છે. ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે બપોરનું ભારે ભોજન, છાશ પેટને ટાઢક આપવાનું અને પાચન સુધારવાનું અદભુત કાર્ય કરે છે. આયુર્વેદમાં છાશને પૃથ્વી…
